Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બે - ત્રણ દિવસથી ગુમસુમ રહેતી માળીયા મિંયાણાના દહીસરાની સગીરાનો આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : માળીયાના નાના દહીસરા ગામેઙ્ગ૧૮ઙ્ગવર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મુદ્દે માળીયા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાની ચોક્કસ કારણ જણાવા તપાસ હાથ ધરી હતી.

માળીયા પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,ઙ્ગનાના દહીસરા ગામે અબ્દુલભાઇ હાજીભાઇ સુમરાની ૧૮ વર્ષીય દીકરી અનીશાબેન છેલ્લા બે ત્રણ દીવસ થી ગુમ સુમ રહેતી હતી. તેના પરિવારજનો પુછપરછ કરતા તો જવાબ આપતી અને ઉદાસ જોવા મળી હતી. ગઈકાલે તા૦૮/૦૬/૨૦૨૨ ના કલાક ૦૪/૪૦ પહેલા તેણે અગમ્ય કારણ સર પોતાના ઘરે હોલમા પંખા સાથે પોતાનો દુપટો બાંધી ગળાફાસો ખાધો હતો. પરિવારજનોને જ થતા તુરંત તેને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કરી હતી.આ ઘટનામાં માળીયા પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)