Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કેશોદની નવનિર્મીત Dy.S.P. કચેરી ખાતે વૃક્ષારોપણ કરતા શહેરના આગેવાનો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૯: કેશોદના માંગરોળ રોડ પરની નવર્નિમીત ડી. વાય. એસ. પી. કચેરીના ગ્રાઉન્ડમાં પર્યાવરણપ્રેમી Dy.S.P.શ્રીઙ્ગ જે.બી. ગઢવીની પ્રેરણાથીઙ્ગ શહેરના શ્રેષ્ઠીઓની હાજરીમાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મામલતદારશ્રી હેતલબેન ભાલિયા, માજી ધારાસભ્ય હમીરભાઈ ધુડા તથા હમીરભાઈ ભેડા તેમજઙ્ગ સામાજિક કાર્યકરો અને શહેરના આગેવાનો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સાદગીપૂર્ણ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથેઙ્ગ પધારેલા મહાનુભાવોના હસ્તે ડી. વાય. એસ. પી. જે. બી. ગઢવી એ ઓફીસના વિશાળ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાવ્યું હતું.

આ તકે સંજીવની નેચર ફાઉન્ડેશનના શ્રીનરેશબાપુ તથા રમેશભાઈ જોશી દ્વારા રકતચંદનના રોપ તથા ચકલીના માળા અર્પણ કરેલ હતા.

આ ધન્ય ઘડીયેઙ્ગ Dy.S.P.ઙ્ગ જે. બી. ગઢવી એ જણાવ્યું હતું કે સરકારે સારી જગ્યાએ લોકોના હિર્તાથે નવર્નિમીત બિલ્ડીંગ બનાવીછેઙ્ગ ત્યારે અહીં આવનારા અરજદારને પણ મનની શાંતિ મળી રહે તેવા શુભ હેતુથીઙ્ગ આજેઙ્ગ આ વિશાળ બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં મામલતદાર હેતલબેનઙ્ગ ભાલિયા સહિતના રાજકીય અને સામાજિક લોકોના હસ્તે અનેક જાતના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યુછે. જે કાયમી યાદગિરી રૂપ બની રહેશે.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન Dy.S.P.  જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ.

(11:53 am IST)