Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જેતપુરમાં વધુ ૨ ડોકટરો કોરોના ની ઝપટે ચડી જતા કોરોના પોઝિટિવ નો આંક ૬૦૦ ને પાર : કુલ મૃત્યુઆંક ૩૦થી વધુ

જેતપુર :::શહેરમાં કોરોના હવે માજા મૂકી રહ્યો હોય દિવસે ને દિવસે વધુ ને વધુ કેસો નોંધાયા રહ્યા છે તેમાં સામાન્ય માણસ તો શું  ડોકટર પણ બચી નથી નથી શકતા. 

       કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા એક દિવસ ની સૌથી વધુ ૩૧ નોંધાય ચૂકી છે. આજે પણ બપોર સુધી માં શહેરમાં કુલ ૧૯ લોકો ના કવિડ પોઝિટિવ રિપોર્ટ આવી ચૂક્યા છે જેમાં શહેરના ૨  સિનિયર ડોકટરો ડો. પી.સી. જોષી અને ડો. કિશોર લાખાણી નો સમાવેશ થાય છે. 

     શહેરમાં કુલ પોઝિટિવ કેસો ની સંખ્યા ૬૦૦ થી પણ વધી ગઈ છે અને મૃત્યુ ૩૦ થી વધુ થયા છે. પરંતુ સારવાર લઈ સ્વસ્થ થનાર નો રેશિયો સારો હોય આરોગ્ય ટીમ ની કામગીરી સરાહનીય છે.

(3:20 pm IST)