Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ધ્રાંગધ્રાની હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનારા કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લકકીને ઝડપી લેતી રૂરલ ફરલો સ્કવોડ

રાજકોટ તા. ૯ : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં જૂથ અથડામણમાં થયેલી ચકચારી હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જંપ કરનારા શખ્સને રૂરલ ફરલો સ્કવોડે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રેન્જ ડી.આઇ. જી. સંદીપસિંહએ પેરોલ વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલા કેદીઓ તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપતા પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ જે.એસ.ડેલાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ મહાવિરસિંહ પરમાર અને ભગવાનભાઇ ખટાણા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ચાર વર્ષ પહેલા જૂથ અથડામણમાં થયેલી હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો કેદી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. ધ્રાંગધ્રા હાલ ગજાનંદ સોસાયટી મોરબી) પાંચ દિવસ માટે વચગાળાના જામીન પર છુટયા બાદ નવ માસથી ફરાર હોઇ તે કેદી મોરબીના લાલપર ઓરસન ઝોન ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફરલો સ્કવોડે કેદી દીવ્યરાજસિંહ રાઠોડને ઝડપી લઇ મોરબી તાલુકા પોલીસને સોંખ્યો હતો.

(3:49 pm IST)