Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જામનગરના પૂર્વ સાંસદ -જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલની તબિયત સારી : કોરોનામાથી જલ્દી બહાર આવશે

કોઈ ગંભીર લક્ષણો દેખાતા ન હોય જલ્દી રજા અપાશે : શુભેચ્છકોનો આભાર માનતા વિપુલ ચંદ્રેશભાઇ પટેલ

 

જામનગર : જામનગરના પૂર્વ સાંસદ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલની તબિયત હાલમાં સારી છે અને કોરોનાથી જલ્દી બહાર આવશે તેમ ચંદ્રેશભાઈના પુત્ર વિપુલભાઈ પટેલે જણાવ્યું છે તેઓએ વધુમાં કહ્યું કે ડોક્ટરોની સલાહ મુજબ તેઓની સારવાર જી,જી, હોસ્પિટલમાં ખુબ સારી રીતે થઇ રહી છે અને હવે કોઈ ગંભીર લક્ષણો નહીં હોવાથી જલ્દી હોસ્પિટલમાંથી રજા અપાશે

  સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી ,પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર,સી,પટેલ,પ્રદેશ મહામંત્રી ભુખુભાઇ દલસાણીયા,સહિતના આગેવાનોએ ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા હતા તેમજ રૂબરૂ અને શોશ્યલ મીડિયાના માધ્યમથી હિંમત આપનાર તમામ શુભેચ્છકોને વિપુલભાઈ પટેલે આભાર માન્યો છે

(11:51 pm IST)