Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સોમનાથમાં : મંદિરના શિખરે 11 સુવર્ણ જડિત કળશ કરશે અર્પણ

રામમંદિર ઓડીટોરીયમમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના અભિવાદન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત : વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર 'સોમ કમલમ'નું કરશે ખાતમુહૂર્ત

સોમનાથ :  ભાજપના પ્રદેશ પ્રમુખ શુક્રવારે સોમનાથ પહોંચ્યા છે. તેઓ આવતીકાલ શનિવારે સોમનાથ દાદાના દર્શન અને પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ સોમનાથ દાદાના મંદિરના શિખરે 11 સુવર્ણ જડિત શિખર અર્પણ કરશે.  સોમનાથ મંદિરના શિખરને સુવર્ણમય કરવા માટે હવે 350 જેટલા સુવર્ણ કળશ બાકી છે

રામમંદિર ઓડીટોરીયમમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ  વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર 'સોમ કમલમ'નું ખાતમુહૂર્ત કરશે

(10:48 pm IST)