Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

કાશ્મીરમાં થયેલી હત્યાઓ વિરુદ્ધ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કચ્છમાં રોષ દાખવ્યો

ગુનેગારોને સ્થળ પર જ મારવાની પરવાનગી આપવા વડાપ્રધાન પાસે માંગણી

ભુજ : છેલ્લા થોડા દિવસોમાં કાશ્મીરમાં થયેલી હત્યાઓ વિરુદ્ધ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદે  રોષ દાખવ્યો હતો. કચ્છ વિભાગ દ્વારા કલેકટર મારફતે વડાપ્રધાન મોદીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કાશ્મીરમાં હિન્દુઓની હત્યા રોકવા માટે ગુનેગારોને સ્થળ પર જ મારવાની પરવાનગી આપવા વડાપ્રધાન પાસે માંગણી કરાઈ હતી. કટ્ટરવાદી અને આતંકવાદી તત્વો વિરુદ્ધ પગલાં લેવા માંગ કરાઇ.છે

(12:50 am IST)