Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જામનગર : લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીના જામીન મંજૂર

જામનગર,તા. ૯ : લગ્નની લાલચ આપી ૧૯ વર્ષની છોકરીને જામનગરથી જૂનાગઢ લઇ તેની મરજી વિરૂધ્ધ કરેલ બળાત્કારના કેસમાં આરોપીને જામીન મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે.

જામનગરમાં ગત તા.૨૦/૪/૨૦૨૧ના રોજ  જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર દ્વારા પરેશ હસમુખભાઇ પીઠડીયા રે. જામનગર વાળા વિરૂધ્ધ એ મતલબની ફરિયાદ  નોંધાવવામાં આવેલ છે. ભોગ બનનારના ઘરે કડિયા કામ કરાવવાનું હોય જે કામ પરેશ પીઠડીયાને આપવામાં આવેલ અને કડીયાકામ પૂર્ણ થયા દસેક દિવસ બાદ પરેશ પીઠડીયા ભોગ બનનારના માતાના મોબાઇલ અને પરેશ પીઠડીયા વચ્ચે અનેક વખત ફોનમાં વાતો થતી હતી. બાદમાં યુવતિ ઉપર વારંવાર બળાત્કાર ગુજારીને તેનું શારીરીક શોષણ કર્યું હતું.

આકામે જામનગર સીટી 'બી' ડીવીઝનમાં નોંધાવેલ હતો. જેમાં પોલીસ દ્વારા આરોપી પરેશ હસમુખ પીઠડીયા ધરપકડ કરવામાં આવેલ હોય. ત્યારબાદ આરોપી દ્વારા તેમના વકીલશ્રી મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન મુકત થવા અરજી હોય, જેમાં ગુજરાત હાઇકોર્ટ  દ્વારા આરોપી તરફેથી દલીલો ધ્યાને લઇને આરોપીને રૂ. ૧૦,૦૦૦ ના શરતી જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલો હોય.

આ કેસમાં આરોપી પરેશ હસમુખભાઇ પીઠડીયા તરફે જામનગરના વકીલશ્રી જયન ડી.ગણાત્રા અને શ્રી પ્રતિક એમ. ભટ્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટના યુવા ધારાશાસ્ત્રી શ્રી નિરલ વી.ઝાલા રોકાયેલા હતા. 

(11:20 am IST)