Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ભાવનગરમાં વાઘાણીનું સન્માન

ભાવનગર તા.૯: જીતુભાઈ વાઘાણી કેબિનેટ શિક્ષણ મંત્રી બન્યા બાદ આજે પ્રથમવાર ભાવનગર આવતા આ પ્રસંગે ભાવનગર નાગરિક સમિતિ દ્વારા શનિવારે રાત્રે ૮:૦૦ કલાકે મેદ્યાણી ઓડીટોરીયમ ખાતે સમગ્ર ભાવનગર વતી તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર વતી કેબિનેટ મંત્રીના આ સન્માનનું આયોજન થયું છે અને આ સમારોહમાં જે કોઈ સંસ્થા, એસોસિએશન શાળા -કોલેજો જુદી જ્ઞાતિના આગેવાનો મંડળો સન્માન કરવા ઈચ્છતા હોય તેમણે ૮ ઓકટોબર બપોર સુધીમાં પોતાના નામ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસે ફોન નંબર ૦૨૭૮- ૨૪૨૪૨૭૯ ઉપર સવારે ૧૦ થી ૬ માં અથવા રામવાડી કાર્યાલય (ભીડભંજન સામે) સવારે ૧૦દ્મક ૧ અને સાંજે ૫થી૮માં ૦૨૭૮-૨૪૨૦૪૦૬ પર અથવા રૂરૂ લખાવી દેવા જણાવાયું છે. નામ નોંધાવનારએ સંસ્થાનું નામ, હોદ્દેદારનું નામ અને મોબાઈલ નંબર ખાસ નોંધાવવાનો રહેશે.  

(12:15 pm IST)