Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

જૂનાગઢમાં ટ્રાન્સપોર્ટ મેનેજર સામે રૂ. ૨.૭૨ લાખની છેતરપીંડીની ફરીયાદ

કંપનીના નાણા બેંકમાં જમા કરાવવાને બદલે ચાંઉ કરી ગયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯ :. સાબલપુર બસ સ્ટોપ પાસે આવેલ ઓમ લોજીસ્ટીક લીમીટેડ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં મધ્યપ્રદેશનો વિજય ચંદ્રશેખર પાટીદાર નામનો શખ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો.

પરંતુ તા. ૨-૧૦-૨૦૧૯થી તા. ૨-૯-૨૦૨૧ દરમ્યાન વિજયે કંપનીના રૂ. ૨,૭૨,૨૪૧ના નાણા કંપનીના બેંક ખાતામાં કે કંપનીમાં જમા કરાવ્યા ન હોવાનુ કંપનીને ધ્યાન પર આવ્યુ હતું.

આથી ગઈકાલે બપોરના કંપનીના સચીન સુંદરલાલ કુબાવતે ફરીયાદ નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વિજય પાટીદાર સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળ્યા મુજબ ફરીયાદી સચીન કુબાવત અને આરોપી વિજય જૂનાગઢના દોલતપરા ખાતેના દાસારામ એપાર્ટમેન્ટમાં સાથે એક જ બ્લોકમાં રહેતા હતા.  વિશેષ તપાસ તાલુકા પીએસઆઈ પી.વી. ધોકડીયા ચલાવી રહ્યા છે. 

(1:15 pm IST)