Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

તહેવારોના દિવસોમાં સોરઠમાં સંક્રમણ

કેશોદમાં કોરોનાના બે કેસ આવતા ફફડાટ

કોરોનાનો પગપેસારો વધતા કેસ વધવાની શકયતા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯ :. તહેવારોના દિવસોમાં સોરઠમાં સંક્રમણ વધતા કેશોદમાં કોરોનાના બે નવા કેસ આવતા ફફડાટ વ્યાપી ગયો છે.

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોના શાંત થઈ ગયો હતો અને લોકો કંઈ નથી તેમ સમજીને કોરોનાને ભૂલી ગયા હતા પરંતુ આ લાપરવાહી મોંઘી પડી શકે. ગત તા. ૫ ઓકટોબરે મેંદરડામાં એક દર્દીનું મોત થયુ હતું.

હવે ત્રણ દિવસ બાદ કેશોદમાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આમ કોરોનાએ પગપેસારો વધારતા આગામી દિવસોમાં કેસ વધવાની શકયતા નકારી શકાતી નથી.

દરમ્યાન શુક્રવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ૨,૬૧૪ અને ગ્રામ્યમાં ૧૬,૨૬૭ મળી કુલ ૧૬૨૬૭ લોકોને રસીકરણ કરાયુ હતું.

(1:17 pm IST)