Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ખંભાળિયા તાલુકાના બેહ ગામે સોમવારે જુંગીવારા વાછરાભાઇની જાતર ઉજવણી

જુંગીવારા ધામ ગઢવી ચારણ સમાજ માટે એકતાનું પ્રતિક સમું છે

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૯:  તાલુકાના બેહ ગામે નવરાત્રીના પ્રથમ સોમવારે ૧૧.૧૦.૨૦૨૧ના રોજ જુંગીવારા વાછરાભાઈ ના મંદિરે જાતર નું આયોજન કરવામાં આવ્યું છે ખંભાળીયા થી ૩૦ કિલોમીટર દૂર દ્વારકા હાઇવે પર જતા ૯ કી.મી બેહ ગામે જુગીવારા વાછરાભાઈનું રમણીય મંદિર આવેલું છે આશરે ૪૯૦ વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણ ની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શકિતનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજ ને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ અસુર ને ત્યાં હણીને ચારણ ની દીકરી ની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બેહ ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વિર વછરાજ જુંગીવારા ના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે.

ગામલોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામ નો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજ ભાઈની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-દ્યણો કરો લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામ નો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે સાહેબને પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ દ્યોડેસવાર વ્યકિત આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરા ભાઈએ ભરેલ છે અત્યારે ત્યાં જુંગીવારા વાછરા ભાઈ નું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે

જુંગીવારા વાછરા ભાઈના મંદિર પ્રત્યે શ્રધ્ધાળુઓની માન્યતા છે કે બેહ ગામોના આગેવાનો દ્વારા જણાવ્યા મુજબ મંદિર ની સામે આશરે ૨૧ એકર જેટલી જમીન આવેલી છે કોઈપણ વ્યકિત તેમાંથી લાકડું દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી જે લોકો લઇ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયા ઓ ના દાખલા છે આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકો ના મકાન ઉપર બીજો માળ કરવામાં આવેલ નથી

જાતર ગઢવી સમાજની પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે જે અહીં જાતર માં ભાઈઓ બહેનો ની રમતની અનેરી જમાવટ જોવા મળશે આ સાથે વાછરા ભાઈ ના મંદિરમાં ખીર નું નિવેદન કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાત ની ઉજવણી કરવામાં આવે છે તેમજ જુગીવારા ધામ ગઢવી ચારણ સમાજ માટે એકતાનું પ્રતિક સમું છે આ જાતરની ઉજવણી સરકારની ગાઈડલાઈન ને અનુસરી ને તકેદારી રાખી ઉજવણી કરવામાં આવનારા છે.

(1:25 pm IST)