Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

માંગરોળ બેઠક ઉપર ભાજપનો વિજય માળિયા હાટીનામાં વિજય સરઘસ

 માળિયાહાટીના તા. ૯ : માંગરોળ માળિયાહાટીના વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠીયાને કુલ ૬૦૫૧૮. મતો મળ્યા છે  તેઓ  ૨૨૨૯૧ મતો ની લીડ થી  વિજેતા થયા છે જ્યારે તેમના કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજા ને ૩૮૨૨૭ મતો મળ્યા છે. આમ આદમી પાર્ટીના પિયુષભાઈ પરમારને ૩૩૭૨૭ મતો મળ્યા છે. એ આઈ એમ ઈ આઈ એમ ના ઉમેદવાર સુલેમાન ભાઈ મોહમ્મદભાઈ પટેલ ને ૧૦૬૫૪ મતો મળ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હંસાબેન માકડીયાને ૯૪૧ મતો મળ્યા છે જ્યારે અપક્ષ માં ઉભેલા  હમીરભાઇ લખમણભાઇ ધામા ને ૬૫૮ મતો મળ્યા છે. આમ આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠીયાનો જળહળતો વિજય થયો છે.જો કે અખબારે તો ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ ચેલેન્જ અને વિશ્વાસ સાથે કીધું હતું કે આ ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર ભગવાનજી ભાઈ વિજેતા થશે જ. માળીયા હાટીના માં બપોરે ચાર વાગે ભગવાનજીભાઈ નું વિજય સરઘસ રેલવે સ્ટેશન પાસેથી નીહાળ્યું હતું

(11:52 am IST)