Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

જામનગરના રાજુને મોરબીમાં પત્નિના પૂર્વ પતિ ભરતે છરીના ઘા ઝીંકયા

છુટાછેડા પછી પણ પૂર્વ પતિ હેરાન કરતો હોવાનો ભાવનાનો આક્ષેપઃ ગંભીર ઇજા પામનાર દેવીપૂજક યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

રાજકોટ તા. ૯: જામનગરમાં રેલ્વે સ્ટેશન પાછળ મછોનગરમાં રહેતાં રાજૂ મનસુખભાઇ હાથરીયા (દેવીપૂજક) (ઉ.વ.૨૫)ને સાંજે તે મોરબીમાં લીલાપર રોડ પર હતો ત્યારે તેની પત્નિ ભાવનાના પૂર્વ પતિ ભરત દેવીપૂજક અને સાથેના પિન્ટૂએ છરીના ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૃ અને તોૈફિકભાઇ જૂણાચે મોરબી એ-ડિવીઝનમાં જાણ કરી હતી. રાજુની પત્નિ ભાવનાએ કહ્યું હતું કે હુમલો કરનાર ભરત મારો પૂર્વ પતિ છે. તેણે અગાઉ બીજી મહિલા સાથે લફરૃ ચાલુ કરી તેણીને ઘરમાં બેસાડી દેતાં હું તેને છોડીને નીકળી ગઇ હતી અને વર્ષોથી રાજુ સાથે લગ્ન કરીને રહુ છું અને રાજુ થકી મારે સંતાન પણ છે. ગઇકાલે મોરબી લીલાપર રોડ પર મારો પતિ રાજૂ કામ માટે આવ્યો હતો ત્યારે ભરત ભેગો થઇ જતાં તું કેમ મારી ઘરવાળીને રાખીને બેઠો છો? તેમ કહી છરીથી હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી .

(1:26 pm IST)