Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ધોરાજીના નવા મહેસુલ ભવનમાં શહીદ અશ્વિન માવાણીનું સ્ટેચ્યુ

૧૯૮૧માં જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો આંદોલનમાં શહીદ થયેલ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૦:  ધોરાજી નવા મહેસુલ ભવન ખાતે જિલ્લા કલેકટરની સૂચનાથી શહિદ અશ્વિન માવાણીનું સ્ટેચ્યૂ મુકવામાં આવતા તેમની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા ભાજપના મંત્રી હરસુખભાઈ ટોપિયા જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણી લડત સમિતીના કન્વીનર જે.ડી.બાલધા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા તેજાબાપા ટ્રસ્ટના સુરેશભાઈ વઘાસિયા અતુલભાઈ સોજીત્રા આર.કે કોયાણી વિગેરેની હાજરીમાં સ્ટેચ્યુ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

૧૯૮૧માં જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો આંદોલન શરૂ કરવામાં આવે આ સમયે વિદ્યાર્થીઓને ભણવા માટે જૂની ભગવતસિંહજી હાઇસ્કુલ હતી પરંતુ તે જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ ભાડાની બિલ્ડિંગમાંથી તેના માલિકને સોંપવાની વાત આવતા આ સમયે જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો સમિતિ બનાવવામાં આવેલ જેમાં હરસુખભાઈ ટોપિયા જે.ડી.બાલધા લલીતભાઈ વસોયા સુરેશભાઈ વઘાસિયા અતુલભાઈ સોજીત્રા વિગેરે વિદ્યાર્થીઓની લડત સમિતી બનાવી હતી અને આ સમયે ધોરાજી થી રાજકોટ જિલ્લા કલેકટરને સાયકલ રેલી દ્વારા જવાનું નક્કી કર્યુ હતું અને ૧ જાન્યુઆરી ૧૯૮૧માં ધોરાજીથી રાજકોટ વિદ્યાર્થીઓની સાયકલ રેલી નીકળી અને આ સમયે ધોરાજીના અવેડા ચોક ખાતે રહેતા અશ્વિનભાઈ માવાણીનું અકસ્માતે અવસાન થતા તેઓ જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ બચાવો આંદોલનમાં શહીદ થતા ધોરાજીમાં જે તે સમયે જોરદાર આંદોલન સાથે રોસ ભભૂકી ઉઠયો હતો અને આ સમયે જિલ્લા કલેકટરને રાજય સરકાર વતી જૂની પ્રગતિ હાઈસ્કૂલ કોઈને પરત નહીં સોંપાય તે બાબતે ખાતરી આપતાં મામલો શાંત થયો હતો બાદ જૂની ભગવતસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં શહીદ અશ્વિનભાઈ માવાણીનું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું પરંતુ સરકારશ્રીએ જૂની ભગવતસિંહજી હાઈસ્કુલ નો કબજો લઈને નવી ભગવતસિંહજી હાઈસ્કુલ માં ટ્રાન્સફર કરતા વિદ્યાર્થીઓ ત્યાં ભણવા લાગ્યા છે અને આ જૂની બિલ્ડીંગ જર્જરિત થઇ જતા તેમની જગ્યાએ નવું આધુનિક મહેસુલ ભવન બનાવવામાં આવ્યું છે જે મહેસુલ ભવન ની અંદર ડેપ્યુટી કલેકટર મામલતદાર સહિતની વિવિધ સરકારી ઓફિસ રાખવામાં આવેલી છે જે બિલ્ડીંગ તૈયાર થઈ જતા અમોએ આ બાબતે રજૂઆત કરતા ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ જિલ્લા કલેકટર સાથે વાત કરી ફરી નવી મહેસુલ કચેરી માં ગ્રાઉન્ડ ખાતે શહીદ અશ્વિન માવાણીનું સ્ટેચ્યુ મૂકવા બાબતે સહમતી આપતા સ્ટેચ્યૂ અનાવરણ કરવામાં આવેલ.

(10:56 am IST)