Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વાંકાનેર બાર એસો.ના નવનિયુકત પ્રમુખ અનિરૂધ્ધસિંહ ઝાલાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૦: વાંકાનેર બાર એસો.ના પ્રમુખ પદે ચુંટાતા અનિરૂધ્ધસિંહ ઝાલા (અનુકાકા)નું સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ) ખાતે સન્માન કરાયું હતું. જયારે વાંકાનેરના હિઝ હાઇનેસ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા ગરાસીયા બોર્ડીંગ ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપના જયોતિસિંહ જાડેજા, વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ રતીલાલ અણીયારીયા સહિત તેની ટીમના સભ્યો ઉંપરાંત મોરબી જીલ્લા ભાજપના કિશાન મોર્ચાના મહામંત્રી હાજર રહ્યા હતા.
બાદમાં વાંકાનેર બાર એસો.દ્વારા વકીલ મંડળના સીનીયર અને જુનીયર એડવોકેટસ દ્વારા સમુહ ભોજન રાખવામાં આવે જેમાં વાંકાનેર નામદાર કોર્ટના સિવીલ પ્રિન્સીપાલ જજશ્રી એ.આર.રાણા તથા એડી.સીવીલ જજ એમ.સી.પટેલ તથા બીજા એડી.સેસનજજ એ.શર્મા અને સીનીયર ધારાશાસ્ત્રી હરીશભાઇ શેઠ, એમ.એફ.બ્લોચ, સુનિલ મહેતા, ઇબ્રાહીમ, દલપોત્રા અને નામદાર કોર્ટનો તમામ કર્મચારી ગણ હાજર રહી બાર એસો.ના નવા વરાયેલા પ્રમુખશ્રીને સન્માનિત કરેલ.
આ પ્રસંગે ખાસ ઉંપસ્થિત સિનીયર મોસ્ટ ધારાશાસ્ત્રી  અનીલભાઇ દેસાઇ, પિયુષ શાહ, તથા રનજીબા ટી.રાણા, એજીપી રક્ષિત કલોલા સાથે તેઓનો સ્ટાફ હાજર રહીને પ્રમુખ અનિધ્ધસિંહ ઝાલાનું પુષ્પગુચ્છથી સન્માન કરેલ. તાલુકાની ગ્રામ્યની અનેક સંસ્થાઓ રાણા બી. એ. પીએસ.ના હરીચરણદાસ સહિતની સંસ્થાઓ પણ શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કર્યા હતા.

 

(10:59 am IST)