Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જસદણની વૈષ્ણવ હવેલીના મુખ્યાજી ઘનશ્યામજી જોશીએ વેકિસન લીધી

( ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૦ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ઘ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની જસદણની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીના મુખ્યાજી શ્રી ઘનશ્યામભાઈ સોહનલાલ જોશીએ તાજેતરમાં કોરોના સામે રક્ષણ આપતી વેકિસન લીધી હતી. મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશીએ પ્રથમ ડોઝ લઈને જણાવ્યું હતું કે દરેક વૈષ્ણવો સહિત તમામ લોકોએ કોઇ પણ જાતનો ડર રાખ્યા વગર વેકિસન લેવી જોઈએ. વેકિસન લઈને આપણા ગામને, રાજયને અને રાષ્ટ્રને સલામત બનાવવું જોઈએ. મુખ્યાજી ની સાથે સાથે હવેલીના મેનેજર દિનેશભાઈ ચાવે પણ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો.

(11:47 am IST)