Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોનાનો કહેર વધતા જસદણનું ડાયમંડ માર્કેટ છ દિવસ બંધ રાખવા નિર્ણંય

સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં કરોડો રૂપિયાના ટર્ન ઓવરને છ દિવસ સજજડ બ્રેક લાગી

જસદણના આટકોટ રોડ ગાયત્રી મંદિર સામે આવેલ સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં આજથી કોરોના ઇફેકટ થતાં છ દિવસ માટે બંધનો મેનેજમેન્ટે નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કરોડો રૂપિયાના ટર્ન ઓવરને છ દિવસ સજજડ બ્રેક લાગી ગઇ છે. રાજકોટ જીલ્લામાં કોરોનાએ ફૂંકાડો મારતા ઘણાં ગામોમાં સ્વયભુ લોકડાઉન થઇ રહ્યું છે. જાની બચી તો લાખો પાયે એ ઉકિતને અનુસરી જસદણ ડાયમંડ માર્કેટ વાળાએ છ દિવસ બંધ પાળવાનું જાહેર કર્યુ છે

(11:49 am IST)