Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જામનગરમાં કોરોના કેસ વધતા ડીન સહિતના દ્વારા નિરીક્ષણ

જામનગર : જામનગરમાં કોરોનાના દર્દીઓનો આવકથી ખાટલા ખૂટી પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ના મોટાભાગના વોર્ડ ભરાઈ ચૂકયા છે. ત્યારે જામનગરમાં આવેલી ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી અને ગુલાબ કુંવરબા આર્યુવેદ હોસ્પિટલમાં પણ મેડીકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈ, જી.જી. હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા ડો. મનીષ મહેતા, હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ઉપરાંત અન્ય ડોકટરો અને આર્યુવેદ હોસ્પિટલના હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડો.જોયલ પટેલ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરી વધુ વ્યવસ્થા માટે સમીક્ષા કરવામાં આવી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)