Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મોરબીના વધુ 11 કોરોના દર્દીઓએ આજે જામનગરમાં અંતિમશ્વાસ લીધા !

ભયાવહ બનતા કોરોનાએ કાળો કેર વર્તાવ્યો : ગતરાત્રિથી આજે બપોર સુધીમાં મોતનું તાંડવ

મોરબી : મોરબી શહેર અને જિલ્લાના રીતસર તૂટી પડેલા કોરોના રાક્ષસે હવે હદ વટાવી છે ત્યારે મોરબીમાં સારવાર ન મળતા જામનગર જીજી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા મોરબીના 14 દર્દીઓના મોત થયા બાદ આજે બપોર સુધીમાં મોરબીના વધુ 11 કોરોનાના દર્દીઓએ અંતિમશ્વાસ લેતા જીજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાળો કલ્પાંત જોવા મળી રહ્યો છે.
આજે જામનગરની ગુરુ ગોવિંદસિંહજી સરકારી કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન ઉપર રહેલા મોટાભાગના વડીલ દર્દીઓએ અંતિમશ્વાસ લીધા હતા ગઈકાલે બપોર બાદથી આજે બપોર સુધીમાં 11 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે.

(8:59 pm IST)