Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 11 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો : નવા 484 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 180 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 227 કેસ ,જૂનાગઢ તાલુકામાં 26 કેસ, કેશોદમાં 39 કેસ, વિસાવદરમાં 37 કેસ, માણાવદરમાં 35 કેસ, માળીયામાં 29 કેસ, માંગરોળમાં 25 કેસ,વંથલીમાં 23 કેસ,ભેસાણમાં 22 કેસ,મેંદરડામાં 21 કેસ, નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાથી વધુ 11 લોકોએ જીવ ગુમાવ્યો છે  આજે નવા 484 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  180 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 484  પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 227 કેસ ,જૂનાગઢ તાલુકામાં 26 કેસ, કેશોદમાં 39 કેસ, વિસાવદરમાં 37 કેસ, માણાવદરમાં 35 કેસ, માળીયામાં 29 કેસ, માંગરોળમાં 25 કેસ,વંથલીમાં 23 કેસ,ભેસાણમાં 22 કેસ,મેંદરડામાં 21 કેસ, નોંધાયા   છે

 

(8:54 pm IST)