Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબીના કેરાળા ગામે જમીન દબાયેલ હોવાનું વૃધ્ધને લાગી આવતા જાત જલાવી આપઘાત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૦: મોરબીના કેરાળા (હરીપર) ગામે વૃદ્ઘની જમીન દબાયેલ હોય તેવું મનોમન લાગી આવતા ટેન્શનમાં પોતાની જાત જલાવતા વૃદ્ઘનું મૃત્યુ નીપજયું હતું.જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના કેરાળા(હરીપર) રહેતા જેરામભાઈ મુળજીભાઈ ફેફર (ઉ.૬૫)ની કેરાળા ગામની સીમમાં સર્વે નંબર ૧૫૯ ની આશરે સાડા બાવીસ વિધા જમીન જેટલી ખેડાણ લાયક જમીન આવેલ હોય તે જમીનનો સને ૨૦૦૪ માં દસ્તાવેજ થયેલ જે મરણ જનાર જેરામભાઈના નામે થયેલ હોય અને જમીનના શેઢે આવેલ કેરાળા ગામના દરબાર પવુભા કનુભા ઝાલા તથા લાલભા ભુરૂભા ઝાલાની જમીન આવેલ હોય જે જમીન તેઓએ મુકેશભાઈ મગનભાઈ સુવારીયા એલીસ પેપરમિલ એલએલપી વાળાને વેચાણ આપેલ હોય અને આજથી આશરે દોઢેક માસ પહેલા તેઓની જમીન તથા મરણજનારની જમીન માપણી કરાવેલ અને માપણી સીટમાં મરણજનારની સહી લીધેલ હોય પરંતુ મરણજનાર જેરામભાઈને એવું લાગેલ હતું કે આ માપણીમાં ફેરફાર છે અને જમીન દબાયેલી હોય તેવું લાગેલ અને તેઓએ આ બાબતે કોઈને વાત કરેલ નહિ અને મનોમન પોતે ટેન્શનમાં રહેતા હોય અને પોતાને મનોમન લાગી આવતા તા.૯ના રોજ પોતાના ઘરેથી નીકળી જમીને આવીને શરીરે પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી સળગી જઈ આપધાત કરી લીધો હોવાની માહિતી પોલીસ પાસેથી મળી હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)