Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વેરાવળ સોમનાથ મૃત્યુ આંકની ભયાવહ સ્થિતી ચાર દિવસથી ર૦૦ થી વધારે કોરોના પોઝીટીવ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: સોમનાથ વિસ્તારમાં મૃત્યુ આંકની સ્થિતી યથાવત છે. ભયાવહ સ્થિીતી સર્જાયેલ છે ચાર દિવસ થી ર૦૦ થી વધારે કોરોના પોઝીટીવ કેસો આવે છે સ્થિીતી બગડતી હોય તેવું જાણવા મળી રહેલ છે.

વેરાવળ સોમનાથ વિસ્તારમાં ર૪ કલાક માં ર૩ ના મૃત્યુ થયેલ છે દરરોજ મૃત્યુનો આંક યથાવત રહેતા ભયાવહ સ્થિીતી સર્જાયેલછે સીવીલ હોસ્પીટલ માં ૮ ખાનગી હોસ્પીટલમાં ૧પ કુલ ર૩ ના મૃત્યુ થયેલ હોય તેવું બિન સતાવાર રીતે જાણવા મળેલ છે અનેક યુવાનો પણ ૧ર થી ર૪ કલાક માં મૃત્યુ પામતા ભારે અરેરાટી વ્યાપેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં ચાર દિવસ થી ર૦૦ થી વધારે કેસ આવી રહેલ છે આજે પણ ર૦૮ કેસો નોધાયેલ છે તેમાં  વેરાવળ ૬૦, સુત્રાપાડા ર૧, કોડીનાર ર૭, ઉના ૪૩, ગીરગઢડા ર૭, તાલાલા ર૪નો સમાવશે થાય છે ગામડાઓની સ્થિતી ખુબજ નાજુક છે સારવાર માટે પણ પહોચી શકતા નથી જેથી ગ્રામ્ય વિસ્તારનો મૃત્યુઆંક સાચો મળતો નથી.

(1:18 pm IST)