Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વાંકાનેરમાં મચ્છુ માતાજી મંદિર આસપાસના વિસ્તારમાં કર્ફ્યું જાહેર

મંદિર આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં તા. ૧૨ ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર

મોરબી : આગામી તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાતી હોય છે તો મોરબી પંથકમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાય છે ત્યારે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને વાંકાનેરમાં આવેલ મચ્છુ માતાજી મંદિર આસપાસના વિસ્તારમાં કર્ફ્યું જાહેર કરાયું છે

મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર શહેર વિસ્તારમાં વાંકાનેર શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ પી પાન સુધી, વાંઢા લીમડા ચોક થી જીનપરા જકાતનાકા અને મિલ પ્લોટ મેઈન રોડથી મચ્છુ માતાના મંદિર સુધી તેમજ મંદિર આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં તા. ૧૨ ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે

(10:23 pm IST)