Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અંજારમાં સળગેલા દંપતિની લાશો મળી

ઘરવખરી પણ બળી ગઇ : મોત કે આત્મહત્યા ? : ભારે ચકચાર

ભુજ,તા.૧૦: અંજારના મેઘપર બોરીચીમાં શ્રીજી વિલાસ સોસાયટીમાં યુવાન પતિ પત્નીની સળગેલી હાલતમાં મળેલી લાશે ચકચાર સાથે ચર્ચા સર્જી છે.

અલ્પેશ બાંભણીયા અને તેની પત્ની શોભના બાંભણીયા બન્ને પોતાના રૂમમાં સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. દરમ્યાન આ બનાવને પગલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ખૂલેલી વિગતો પ્રમાણે બન્નેના મોબાઈલ સહિત અન્ય ઘર સામાન પણ બળી ગયો છે.

જોકે, રૂમમાંથી કેરોસીન ડબ્બો કે અન્ય જવલનશીલ પદાર્થ ન મળ્યો હોઈ પોલીસે ફોરેન્સિક એકસપર્ટ સાથે એફએસએલ દ્વારા તપાસ હાથ ધરી છે.

મૃતક અલ્પેશ વેલ્સપન કંપનીમાં જયારે તેની પત્ની શોભના કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં ખાનગી નોકરી કરતા હતા. બન્ને એક જ જ્ઞાતિના અને પારિવારિક રીતે લગ્ન કર્યા હતા.

(11:09 am IST)