Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

હિંમતનગર-માંગરોળ બસનું ટાયર ફાટતા મુસાફરોના જીવ તાળવે બંધાયા

લીંબડી પાસે આગલુ ટાયર નીકળી ગયું : ડ્રાઇવરની સમયસૂચકતાથી ૨૮નો બચાવ

વઢવાણ,તા.૧૦: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે જેમાં સૌથી વધુ અકસ્માતો લીંબડી-બગોદરા નેશનલ હાઈવે પર થાય છે ત્યારે લીંબડી પાસે એસટી બસનું અચાનક ટાયર નીકળી જતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પરંતુ એસટી વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

હિંમતનગર-માંગરોળ રૂટની એસટી બસ રાબેતા મુજબ મુસાફરોને ભરી જઈ રહી હતી તે દરમ્યાન અચાનક ચાલુ બસેં આગળનું ટાયર નીકળી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. જો કે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસ પર કાબુ મેળવી લેતાં મોટી જાનહાની ટળી હતી ..

બસમાં સવાર અંદાજે ૨૮થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અસ.ટી.બસોમાં બેદરકારીના કારણે અકસ્માતના બનાવો બની રહ્યાં છે ત્યારે ફરી એસટી બસને અસ્માત નડયો હતો જેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

(11:29 am IST)