Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કેશોદમાં વેપારીને મુર્ખ બનાવી બે શખ્સો રૂ. ર૪ હજાર ગપચાવી ગયા

પિતાના શ્રાધ્ધના બહાને છેતરપીંડી

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૦: કેશોદના વેપારી ભીમજીભાઇ જીવનભાઇ કારીયા (ઉ.વ.૬૭)નેે ગઇકાલે બે શખ્સો મુર્ખ બનાવીને તેની પાસેથી રૂ.ર૪ હજાર ગપચાવીને નાસી ગયા હતા.

કેશોદમાં માંગરોળ રોડ ખાતે યમુના એજન્સી નામની પેઢી ધરાવતા ભીમજીભાઇ કારીયાની દુકાન પર ગઇકાલે બે અજાણ્યા શખ્સોએ આવી ચોકલેટ અને બીડીનો સામાન જોઇએ છે તેવી ખરીદીની વાતો કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા.

બાદમાં આ ઇસમોએ તેમના પિતાનું શ્રાધ્ધ હોવાનુ કહી છુટા પૈસાને બદલે બાધા રૂપીયા જોઇએ છે તેવુ જણાવી વેપારીને નજર ચુકવી રૂ. ૪૦ હજાર સેરવી લીધા હતા.

આ પછી રૂ. ર૪ હજારની ચલણી નોટ પરત કરી દીધી હોવાનો દેખાવ કરી રૂ. ર૪ હજાર લઇ જઇ છેતરપીંડી વિશ્વાસઘાત આચરીને બંન્ને શખ્સો નાસી ગયા હતા.

વિશેષ તપાસ પીએસઆઇ એમ.સી. ચુડાસમા ચલાવી રહયા છે.

(12:48 pm IST)