Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાખરીયાની નિમણુંક

રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બંને તેમજ આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મા ભાજપનો ભગવો લહેરાયો તે માટે સૌથી મોટી મારી અગ્રતા હશે: મનસુખભાઈ ખાચરિયા

 ધોરાજી: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરિયા ની જાહેરાત કરતા ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા શરૂ થઇ ગઇ છે
રાજકોટ જિલ્લા ભાજપમાં પ્રથમ વખત જેતપુર શહેર માંથી જિલ્લા પ્રમુખ ની જાહેરાત થઇ જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ના સદસ્ય અને એક વખત પોરબંદર લોકસભાની ચૂંટણી લડેલા મનસુખભાઈ ખાચરીયા ની રાજકોટ જિલ્લા ભાજપ ના પ્રમુખ  તરીકે જાહેરાત થતા રાજકોટ જિલ્લામાં હર્ષની લાગણી ફેલાઇ છે
રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરીયા ની નિમણૂક થતા રાજ્યના કેબિનેટ મંત્રી અને જેતપુર ના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પી.જી ક્યાડા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા નયનભાઈ કુવાડીયા કિશોરભાઈ શાહ જયંતીભાઈ રામોલિયા વિગેરે એ અભિનંદન પાઠવ્યા હતા
આ સમયે નવનિયુક્ત રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ જણાવેલ કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જાહેરાત કરી છે તે બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં હું આભાર માનું છું અને પ્રથમ મારી ફરજ છે કે રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અને આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની અંદર ભાજપનો ભગવો લહેરાયો તે માટે પ્રથમ મારી અંગત હશે આ તકે મારી જિલ્લા પ્રમુખ તરીકે જાહેરાત થતા  મને અભિનંદનની વર્ષા થઈ છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટી ના તમામ હોદ્દેદારો મિત્રો સગાંસંબંધીઓ નો આભાર માનું છું

(8:21 pm IST)