Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

શાકભાજીના એક મહીના સુધી ભાવ ઉતરવાની શકયતા નહીવત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૦:  રસોડાં ની મહત્વની વસ્તુ ગણાતાં શાકભાજી નાં ભાવ આસમાને પહોચ્યા છે.અલબત ધીમીધારે નવી આવક શરું થવાં પામી હોય ભાવમાં આંશિક ઘટાડો થયો છે.પરંતુ દિવાળીનાં તહેવારોમાં શાકભાજીનાં ભાવ ગૃહીણીઓ ને દજાડશે એ પાક્કું છે.દિવાળી બાદ ઉંચે ગયેલી બજાર તળીએ આવે તેવી શકયતાં છે.

હાલ પરિસ્થિતિ એવી છેકે થેલી લઇ શાકભાજી ખરીદવાં ગયેલ વ્યકિત શાક,કોથમીર સહીત મસાલો ખરીદે એટલે સ્વાભાવિક રીતે જ રુ.દોઢસો થી બસ્સો ખર્ચાઇ જાય.મોટું પરીવાર હોયતો ખચઁ વધું લાગે.કારણકે ગુવાર નો ભાવ હાલ માં કિલો નાં રૂ.એંસી,રિંગણ રુ.ચાલીસ થી સાઇઠ,ભીંડો,ટમેટા રુ.ચાલીસ થી પચાસ,એજ રીતે કોબી,ફલાવર સહીત નાં ભાવ આસમાને પંહોચ્યા છે.લીલા મરચાં નાં ભાવ રુ.ચાલીસ થી એંસી બોલાઇ રહ્યા છે.સામાન્ય કોથમીર નાં ભાવ પણ રુ.ત્રીસ થી પચાસ સુધી બોલાઇ રહ્યા છે.રસોડાં ની શ્નાૃક્ન.પ્ન લાઇન શ્ન ગણાતાં શાકભાજી નાં ઉંચા ભાવ પરડવા મુશ્કેલ બન્યાં છે.મોટાં પરીવાર માટે તો દોહ્યલી સ્થિતિ સર્જાઇ છે.એક સમયે સિતેર કે સો રુપિયા માં થેલી ભરી ને શાક આવતું.આજે પરિસ્થિતિ વિકટ બની છે.

હાલ નાં સંજોગો માં નવાં શાકભાજી ની આવક ધીમી ગતીએ શરું થતાં આસમાને પંહોચેલા ભાવ માં થોડો ફકઁ પડયો છે.

આ વષઁ નું ચોમાસું ભરપુર રહ્યું છે.જયાં સિઝન માં સરેરાશ પચ્ચીસ થી પાત્રીસ ઇંચ વરસાદ પડતો ત્યાં એંસી થી પિંચાસી કે નેવુ ઇંચ વરસાદ વરસ્યો હોય મગફળી સહીત શાકભાજી નાં વાવેતર નું ભારે ધોવાણ થયું છે.શરુઆત માં પડેલો વરસાદ ખેડૂતો માટે ખુશી ની લહેર સમો હતો.પણ પછી મેદ્યરાજા એ એવી તો પરોણાગત કરી કે ખેડૂતો હેરાનપરેશાન બની ગયાં.મગફળી નો સોથ બોલી ગયો તો શાકભાજી નું વાવેતર પણ અતિવૃષ્ટિ માં નિષ્ફળ ગયું.વરસાદે જબરું ધોવાણ કર્યુ.જેનાં ફલસ્વરૂપે બચેલું વાવેતર આજે મોંદ્યુ દાટ બન્યું છે.ચોમાસા પછી નું એટલેકે મહીના પહેલાં નાં વાવેતર ની આવક શરું થવાં પામી છે.પરંતુ મંદગતી હોય દિવાળી નાં તહેવારો માં શાકભાજી નાં ભાવ નીચાં આવે તેવી કોઈ શકયતાં નથી.

દિવાળી બાદ ભાવ નું લેવલ બંધાય તેવું સુત્રો જણાવી રહ્યા છે.શિયાળામાં બેશક આસમાને ગયેલાં ભાવ નીચા આવશે એટલે શાકભાજી સસ્તું થશે.

શાકભાજી નાં વાવેતર માં ભારે ગરમી કે વરસાદ પાક ને નુકશાન પંહોચાડતા હોય છે.ત્યારે શિયાળામાં ઠંડક અનુકુળ હોય વિપુલ ઉત્પાદન વચ્ચે શાકભાજી માર્કેટો ને છલકાવી દેશે અને સસ્તું બનશે.હાલ દાળ,શાક માં અનિવાર્ય ગણાતાં ટમેટાં ની નવી લોકલ આવક નથી.ત્યારે નાશીક કે બેંગલોર થી આવતાં ટમેટાં ખરીદનાર ને મોંદ્યા પડી રહ્યા છે.અન્ય શાકભાજી ની પણ આ પરિસ્થિતિ છે.ત્યાંરે તહેવારો માં ઉંધીયા સહીત ની વાનગીઓ મોંદ્યી સાબીત થશે તે હકીકત છે.

(11:31 am IST)