Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગોંડલમાં પટેલ પરિણિતાને બાવાજી શખ્સે છરી ઝીંકી

૧૨ વર્ષ પહેલાના મન દુઃખનો ખાર રાખ્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૦ : ગુંદાળા રોડ કનૈયા પાન વાળી શેરી માં રહેતાં ગીતાબેન મનસુખભાઈ પોકીયા ઉ.૪૮ સવારે દશ નાં સુમારે ઘરે એકલી હતી ત્યાંરે પોતાની પુત્રી સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી.

આ વેળાં ઘરની ડેલી ખોલી દ્યસી આવેલાં ડેકોરા સીટીમાં રહેતાં સામતગીરી રેવાગીરી ગોસ્વામી એ તારો પુત્ર કાનો કયાં છે તેવું કહીં ગીતાબેન સાથે ઝપાઝપી કરી તેણીનો મોબાઈલ ઝુંટવી લઇ તેની પાસે રહેલ થેલી માં થી છરી કાઢી ગીતાબેન પર વાર કરતાં જમણી આંખ ઉપર ઇજા થવાં પામી હતી.બાદ માં ઉશ્કેરાયેલાં સામતગીરી એ તારો પતિ મનસુખ કયાં ગયો તેવું કહી થેલી માં થી એસીડ ભરેલી બોટલ કાઢી ગીતાબેન પર નાંખવા પ્રયત્ન કરતાં ગીતાબેને રાડારાડ કરી મુકતાં પાડોશીઓ દોડી આવતાં સામતગીરી થેલી મુકી નાશી છુટ્યો હતો.બાદ માં ગભરાયેલા ગીતાબેને તેમનાં પતિ મનસુખભાઈને જાણ કરતાં તે ઘરે દોડી આવ્યાં હતાં અને ઇજાગ્રસ્ત પત્નીને હોસ્પિટલમાં સારવાર અપાવી બનાવ અંગે સીટી પોલીસ માં ફરીયાદ કરી હતી.

ફરીયાદમાં જણાંવ્યા મુજબ બાર વર્ષ પહેલાં સામતગીરી ગીતાબેન નાં ઘર સામે રહેતો હતો એ વેળા પતિ મનસુખભાઈ સામે ખોટી શંકા કુશંકાઓ કરતો હોય પતિ મનસુખભાઈ સાથે સામતગીરી ને મનદુખ સર્જાયા હતા.એ વાત નો ખાર રાખી છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.મનસુખભાઈ માર્કેટ યાર્ડમાં કાઠીયાવાડ ટ્રેડીંગ નામે ખેત પેદાશ નો વેપાર કરે છે. બનાવ અંગે પીએસઆઇ ઝાલા એ તપાસ હાથ ધરી છે.

(11:32 am IST)