Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વઢવાણના આધેડનો ભોગ લેતા કોરોનાઃ ઝાલાવડમાં નવા ૨૧ કેસ : મોરબી -વાંકાનેર તાલુકામાં ૧૪, ભાવનગરમાં ૮ દર્દી

રાજકોટ,તા. ૧૦: કોરોના હજુ સંપૂર્ણપણે શમ્યો નથી તે હકિકત છે. રોજબરોજ નવા નવા કેસો આવતા રહે છે ત્યારે વઢવાણના આધેડનો કોરોનાએ ભોગ લીધો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં નવા ૨૧ કેસ અને મોરબી ૧૪ તથા ભાવનગરમાં ૮ દર્દીઓ નોંધાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દર્દીઓનો કુલ આંક ૨૭૧૭

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિન-પ્રતિદિન લોકલ સંક્રમણ વધતાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે.

જિલ્લામાં કોરોનાને ધ્યાને લઈ લોકોમાં ચીંતા જોવા મળી રહી છે તેમજ બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતાં તંત્ર સહિત લોકો માટે ચીંતાનો વિષય બન્યો છે. ત્યારે આજે નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને વઢવાણના ૫૩ વર્ષિય આધેડનું કોરોનાથી મોત નિપજયું હતું.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૩૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે.

ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૨૧કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૨૭૧૭ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

મોરબી અને વાંકાનેર તાલુકામાં વધુ ૧૨ દર્દી સ્વસ્થ

મોરબી અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૧૪ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૧ કેસોમાં ૦૪ ગ્રામ્ય અને ૦૭ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેર તાલુકાના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૧૪ કેસો નોંધાયા છે તો વધુ ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૩૩૬ થયો છે જેમાં ૧૪૧ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૦૬૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગરમાં  ૪૯ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરઃ  જિલ્લામા વધુ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૮૯૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૬ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા વલ્લભીપુર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જયારે તાલુકાઓના ૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.  આમ જિલ્લામા નોંધાયેલા ૪,૮૯૭ કેસ પૈકી હાલ ૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૭૭૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:35 am IST)