Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોવિયાધામ વડવાળી જગ્યામાં અન્નકુટ મહોત્સવ

ગોંડલ : સરકારશ્રી ની ગાઇડ લાઇન મુજબ સંત ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મોવિયા ધામ માં દીપાલી મહોત્સવ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવશે. દીવાળીને શનીવારે વીશેષ શણગાર રોશની દર્શન,રાત્રે ચોપડાપુજન તેમજ કારતક સુદ એકમને રવીવારે નુતન વર્ષ ના દિવસે અન્નકુટ દર્શન સવાર થી સાંજ સુધી ખુલ્લા રહેશે...મોવિયા ધામ માં સંત ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મા નવા વર્ષ ના પ્રથમ દિવસે પુ. મહંત શ્રી ભરતબાપુ ના સાનિધ્યમાં ઠાકર મંદિરમાં અન્નકુટ ધરવામાં આવશે.૧૫૧ પ્રકારની મીઠાઈભોગ અને ફરસાણ ભોગના થાળ ધરવામાં આવે છે. આ દિવ્ય દર્શન નો લાભ સોશ્યલ ડીસટન્સ રાખી સેનેટાઇઝેશન ના પુરા સાધનો નો ઉપયોગ કરી કરવાના રહેશે. વડવાળી જગ્યાની તસ્વીર.

(11:35 am IST)