Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પરસ્ત્રી સાથે આડા સંબંધોને કારણે પત્નિને દુઃખ ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હામાં આરોપી પતિને જામીન મૂકત કરતી જેતપુર સેસન્સ કોર્ટ

ધોરાજી, તા., ૧૦: જેતપુર તાલુકાનાં પેઢલાનાં રહેવાસી હિતેશ વલ્લભભાઇ સડસાણી સામે તેમના સસરાએ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ કે ફરીયાદીની પુત્રીને આરોપી અવાર-નવાર પરસ્ત્રી સાથે સંબંધો હોવાથી નાની-નાની વાતોમાં ઝઘડાઓ કરતા અને અવાર-નવાર શારીરીક અને માનસીક દુઃખ ત્રાસ આપતા અને અવાર-નવાર મરી જા તેવા શબ્દો કહેતા જેથી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરેલ. જેતપુર તાલુકા પોલીસે આરોપી સામે ઇ.પી.કો.ક. ૩૦૬, ૪૯૮(એ) મુજબ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા આરોપી જેલહવાલે  થયેલ. આરોપીએ જામીન મુકત થવા અરજી કરેલ અને જેતપુર સેસન્સ કોર્ટમાં આરોપી તરફે ઉચ્ચ અદાલતનો સિધ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરતા આરોપી પક્ષની દલીલો સાથે સહમત થઇ જેતપુરનાં એડી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજે આરોપીને જામીન મુકત કરતો હુકમ ફરમાવેલ છે.  આ કેસમાં બચાવ પક્ષે ધોરાજીનાં યુવા ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડીયા તથા પાર્થકુમાર બી.ઠેસીયા રોકાયેલ હતા.

(12:59 pm IST)