Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોરબી : માધવસિંહ સોલંકીને ભાવાંજલી અર્પતા બિજેશભાઇ

મોરબી તા.૧૧ : પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ૯૪ વર્ષની જૈફ વયે થયેલ નિધન થતા સદગતના નશ્વર દેહ સમક્ષ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પુસ્તક મુકીને અલગ પ્રકારની ભાવાંજલિ સદગતના નિવાસસ્થાને ગાંધીનગર જઈને અર્પી હતી.

બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માધવસિંહ સોલંકી એક કુશળ રાજનીતિજ્ઞ હોવા ઉપરાંત વાંચનના ખુબ શોખીન હતા તેમના નિવાસે વિવિધ પ્રકારના પુસ્તકોની એક લાઈબ્રેરી ઉભી કરી હતી પ્રસંતોપાત જયારે તેમણે મળવાનું બનતું હતું ત્યારે કિતાબ ભેટ આપતા અને તેમણે ખુબ ગમતું હતું જેથી મોરબી-માળિયાની પ્રજા વતી ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ માધવસિંહ સોલંકી પરત્વેની જિંદાદિલીને અનુરૂપ ડો. જયેશ વાછાણી લિખિત આઈ લવ મી કિતાબ અર્પણ કરી હતી.

(12:11 pm IST)