Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નિયમોનું પાલન નહી તો કોલેજ સ્‍કુલોનું લાયસન્‍સ રદ કરાવશું-જુનાગઢ-NSUI

જુનાગઢ તા. ૧૧ : જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ દ્વારા જણાવામાં આવ્‍યું હતું કે એનએસયુઆઇ દ્વારા ગમે ત્‍યારે શાળા કોલેજમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે જો કોઇ પણ શાળા કોલેજ નિયમોનું પાલન કરતી નહિ જણાય તો એનએસયુઆઇ ફરીયાદી બની અને તે સ્‍કુલ કોલેજનું લાયસન્‍સ રદ કરવાશે કારણ કે શિક્ષણ પણ જરૂરી છે સાથે સાથે વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય પણ એટલું જ જરૂરી છે વિદ્યાર્થીઓ પોતાની સેફટી રાખતા જ હોય છ.ે પણ સ્‍કુલો દ્વારા જો સેફટીના રાખવામાં આવી તો કોરોનાનો વ્‍યાપ વધી શકે છે વિદેશમાં પણ અમુક જગ્‍યાએ સ્‍કુલ અને કોલેજની બેદરકારીને લીધે લાખો વિદ્યાર્થીઓ કોરોના નો ભોગ બન્‍યા છે.

(1:39 pm IST)