Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જામકંડોરણા તાલુકા શાળાના નિવૃત આચાર્ય સ્વ.ભગવાનજીભાઇ રાઠોડની ૩પ મી પુણ્યતીથીએ ભવ્ય ભંડારો યોજાયો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૧૧: તાલુકા શાળાના નિવૃત આચાર્ય સ્વ.ભગવાનજીભાઇ મુળુભાઇ  રાઠોડની ૩૫ મી. વાર્ષિક પુણ્યતીથી નિમિતે તેમના પરીવાર દ્વારા ગોંડલ રોડ પર આવેલ યાદવ ફાર્મ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાધુ સંતો અને જામકંડોરણા શહેરના વિવિધ જ્ઞાતિના આમંત્રીત મહેમાનો ડોકટર, વકીલ તેમજ શૈક્ષણીક ક્ષેત્રે સંકળાયેલ મહેમાનોએ હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ તકે રાજકોટ જીલ્લા દુધ સંઘના પુર્વ ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, સહકારી અગ્રણી લલીતભાઇ રાદડીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, બાલાભાઇ બગડા ખીમજીભાઇ બગડા, ગૌતમભાઇ વ્યાસ, આહીર અગ્રણી રામભાઇ ડોડીયા, ગોવીંદભાઇ કાનગડ, કરણાભાઇ શિયાળ, હિરેનભાઇ વસરા તેમજ વેપારી અગ્રણીઓ જયેન્દ્રભાઇ મહેતા, મહેશભાઇ કારીયા, નરેન્દ્રભાઇ સંપટ, ઇન્દુભાઇ મહેતા, વિજયભાઇ પારેખ  સહીતના મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાઠોડ પરીવારના ભરતભાઇ આહીર અને અજીતભાઇ આહીરે જહેમત ઉંઠાવી હતી. તેમજ સંચાલન પ્રિયંકભાઇ રાઠોડે કર્યુ હતું.

 

(11:14 am IST)