Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જુનાગઢમાં વધુ ૩૩ લોકો સંક્રમિતઃ ૩ દર્દીને ડિસ્ચાર્જ

પ જુનાગઢ ગ્રામ્ય, માળીયા, માણાવદર-મેંદરડામાં ૧-૧ કેસઃ વંથલીમાં એક સાથે ૭ કેસ આવતાં લોકોમાં ગભરાટ

(વિશુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧: જુનાગઢમાં વધુ ૩૩ લોકો સંક્રમિત થયા છે આ સાથે જિલ્લામાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.

જુનાગઢમાં સોમવારે એકી સાથે ૩૩ વ્યકિતનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા તેમની સારવાર વધુ સઘન કરવામાં આવી હતી.

સીટીનાં ૩૩ નવા કેસની સામે ત્રણ દર્દી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ. જો કે રિકવરી રેટ ઓછો રહ્યો હતો.

જુનાગઢ સીટી ઉપરાંત ગઇકાલે જુનાગઢ ગ્રામ્ય તેમજ માળીયા, માણાવદર, અને મેંદરડામાં એક-એક નવો કેસ આવ્યો હતો. જયારે વંથલીમાં એકી સાથે ૭ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

(12:38 pm IST)