Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પૂ. ભવ્‍યમુનિજી મ.સા.ના સંથારાનો આજે ૨૧મો દિવસ : ભૂપેન્‍દ્રભાઇની પત્ર દ્વારા અનુમોદના

રાજકોટ,તા. ૧૧: રાજયના ધર્મપ્રેમી મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ગોંડલ સંપ્રદાયના ‘જસ'પરિવારના સ્‍થવીર ગુરુભગવંત સ્‍વ. પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન ચારિત્રનિષ્ઠ તપસ્‍વીરાજ પરમ પૂજય ગુરુભગવંત બા.બ્ર.શ્રી રાજેશમુનિજી મહારાજ સાહેબના શિષ્‍યરત્‍ન અનશન આરાધક પરમ પૂજયશ્રી ભવ્‍યમુનિજી મહારાજ સાહેબના સંધારાની સાધનાની અનુમોદના માટે વંદન સહ નત્‍મસ્‍તક નમસ્‍કાર દ્વારા અનુમોદનાની મહાલાભ લીધો.

આજે તા. ૧૧ના રોજ સંથારાસાધક પરમ પૂજયશ્રી ભવ્‍યમુનિજી મહારાજ સાહેબને પ૧ મો ઉપવાસ અને સંથારાનો ૨૧મો દિવસ છે. જૈન સાધુ-સાધ્‍વીજી ભગવંતો, આધ્‍યાત્‍મિક ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, સરકારી પદાધિકારીઓ, સામાજિક સંસ્‍થાના અગ્રણીઓ, ગામો-ગામના શ્રેષ્ઠીવયોં, ઉદ્યોગપતિઓ, તેમજ ભારતભરના અનેક જૈનધર્મપ્રમેઓએ પણ ગોંડલગચ્‍છના રત્‍ન અનશન આરાધક તપસ્‍વીરાજ પરમ પૂજયશ્રી ભવ્‍યમુનિજી મહારાજ સાહેબના દર્શન-વદંન તથા પૂજયશ્રીના મુખે પ્રતિજ્ઞા-પ્રત્‍યાખ્‍યાન- વ્રત-નિયમ ધારણ કરવાનો અપૂર્વ અને અદ્વૂત એવો મહાલાભ લીધેલ છે.

તપસ્‍વીરાજ પરમ પૂજયશ્રી ભવ્‍યમુનિજી મહારાજ સાહેબે નિરતિચાર છેદોસ્‍થાપનીય ચારિત્ર અંગીકાર કરી સાધના-આરાધનામાં વધારે દિવ્‍યતા અને ભવ્‍યતા અર્પણ કરી.

સંયમજીવન દરમ્‍યાન જો કોઇ મોટા દોષ લાગ્‍યા હોય તો આલોચના-પ્રાચશ્ર્‌ચિત-નિંદા-ગર્હા બાદ યથાયોગ્‍ય મુજબ છેદોપસ્‍થાપનીય ચારિત્ર અંગીકાર કરવામાં આવે તો તેને અસતિચાર (અતિચાર સાથેનું) છેદોપસ્‍થાપનીય ચારિત્ર કહેવાય છે. પરંતુ એવા કોઇ દોષ ન લગાડયા હોય અને યથાયોગ્‍ય સમયે છેદોપસ્‍થાપનીય ચારિત્ર ધારણ કરવામાં આવે તો તેને નિરતિચાર છેદોપસ્‍થાપનીય ચારિત્ર કહે છે.

તપસ્‍વી મુનિરાજના પ્રત્‍યક્ષ દર્શનનો મહાલાભ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૫.૦૦ દરમિયાન મળવાની શકયતા વધારે હોય છે.

ગોંડલ સંપ્રદાય સ્‍થાનકવાસી જૈન સિધ્‍ધાંત સંરક્ષક સમિતિ, રાજકોટના પ્રમુખ રમેશભાઇ દુર્લભજીભાઇ વિરાણી, સ્‍થાપક સભ્‍યશ્રી પંકજભાઇ જયસુખલાલ શાહ, ઉપપ્રમુખશ્રી પરેશભાઇ ચંદ્રકાન્‍તભાઇ પટેલ, સ્‍થાપક સભ્‍ય દિલીપભાઇ જયંતીલાલ સખપરા, પ્રતિકભાઇ સુરેશભાઇ કામદાર આદિ અગ્રણીઓ તથા ઋષભદેવ સંઘ-સંચાલિત બધા જ સંઘોના સેવાભાવી શ્રાવક-શ્રાવિકાઓ ગામો-ગામથી પધારેલ દર્શનાર્થીઓની સેવા કરી રહેલ છે.(

(2:58 pm IST)