Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૬૭ કેસ જ્યારે ૮૮ દર્દીઓ સ્વસ્થ થયા

સરકારી ચોપડે એક પણ મૃત્યુ નથી નોંધાયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: મોરબી જીલ્લામાં કોરોના કેસોની ગતિ ધીમી પડી હોવા છતાં કેસોમાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે આજે જીલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના નવા ૬૭ કેસો નોંધાયા છે જયારે ૮૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૪૭ કેસો જેમાં ૩૨ ગ્રામ્ય અને ૧૫ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૭ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૦૮ કેસો ગ્રામ્ય પંથક અને માળિયા તાલુકાના ૦૫ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૬૭ કેસ નોંધાયા છે તો વાંકાનેર તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે જીલ્લામાં વધુ ૮૮ દર્દીઓ સ્વસ્થ થયા છે

સરકારી ચોપડે એકપણ દર્દીનું મૃત્યુ થયાનું દર્શાવ્યું નથી નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૯૨૪ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૦૫ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

(12:49 pm IST)