Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પંડિત શિવકુમાર શર્માજી સ્‍થૂળ સ્‍વરૂપે આપણી વચ્‍ચે નથી પરંતુ એમનું સૂક્ષ્મ સંતૂર વાદન કાયમ આપણા કાનોમાં ગૂંજતુ રહેશે : પૂ. મોરારીબાપુ

પંડિતજીના નિર્વાણને પ્રણામ કરીને અંતઃકરણ પૂર્વકની શ્રધ્‍ધાંજલિ અર્પણ કરતા રામાયણ કથાકાર

રાજકોટ તા.૧૧ :ᅠપંડિત શિવકુમાર શર્માજીને પૂ. મોરારીબાપુએ શ્રદ્ધાંજલી અર્પણ કરતા જણાવ્‍યું છે કે,આદરણીય અને આત્‍મીય પંડિત શિવકુમાર શર્માજી આજથીᅠ સ્‍થૂળᅠ સ્‍વરૂપે આપણી વચ્‍ચે નથી. પરંતુ એમનું સૂક્ષ્મ સંતૂર વાદન કાયમ આપણા કાનોમાં ગુંજતું રહેશે.
ᅠશબ્‍દની ઉચ્‍ચતમ સમજ, સુરની અદભુત સમજ અને વાદ્યની વિશ્વસનીયતા આ ત્રણેયનો સંગમ આ ઉચ્‍ચ કોટિના સંગીત સાધકમાં મેં નિહાળેલ છે. એમની નખશિખ શાલીનતાને નમન કરવાનું મન થાય. આવા પંડિતજીના નિર્વાણને મારા પ્રણામ. અંતઃકરણ પૂર્વકની શ્રદ્ધાંજલી. એમના પરિવારજનોને મારી દીલસોજી પાઠવું છું.તેમ પૂ.મોરારિબાપુએ અંતમાં જણાવ્‍યું છે. તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

 

(11:17 am IST)