Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજપૂત કરણી સેના આયોજિત એકતા યાત્રાનું કાલે મોરબીમાં ભવ્‍ય સ્‍વાગત કરાશે

એકતા યાત્રાના સ્‍વાગત ઉપરાંત સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરાયું છે માતાના મઢથી તા ૦૧-૦૫ ના રોજ શરુ થયેલી એકતા યાત્રા તા. ૧૬-૦૫ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે જે એકતા યાત્રા કાલે મોરબી પહોંચતા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવશે.

વિવિધ શહેરોમાંથી પસાર થનારી શ્રી રાજપૂત કરણી સેના આયોજિત એકતા યાત્રા તા. ૧૨ ને ગુરુવારે મોરબી પહોંચશે ત્‍યારે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે ભવ્‍ય સ્‍વાગત કરાશે અને કાર રેલી મહારાણા પ્રતાપ સર્કલથી સાંજે ૪ કલાકે પ્રસ્‍થાન કરી ઘુનડા રોડ શકત શનાળા ખાતે આવેલ શ્રી રાજપૂત સમાજ વાડી પહોંચશે ઘુનડા રોડ પર શ્રી રાજપૂત સમાજ વાડી ખાતે સાંજે ૭ કલાકે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે અને રાત્રીના ભોજન સમારંભ યોજાશે.

એકતા યાત્રાના સ્‍વાગત પ્રસંગે શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્‍દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા અને જીલ્લા પ્રભારી દશરથસિંહ ઝાલા તેમજ પ્રતિપાલસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા અને રાજનસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

(12:13 pm IST)