Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જૂનાગઢમાં માનપુરમાં યુવાનનો ગળાફાંસો ખાઇને આપઘાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧: અહિં જોશીપરાના આધેડનગરમાં ભાડાના મકાનમાં રહેતો મેંદરડાનાં માનપુર ગામનો સંજય મહેન્‍દ્રભાઇ સોલંકી (ઉવ.૧૯)એ ગઇ કાલે બપોરના હુકમાં દોરી વડી લટકીને ફાંસો ખાઇ લીધો હતો.

યુવાનનાં આપઘાતનું કારણ બહાર આવેલ નથી વિશેષ તપાસ પી.એસ.આઇ જે.એચ.કછોટ ચલાવી રહ્યા છે.

મૃત્‍યુ

વંથલીના વાડલા ફાટક ખાતે પરણેલી  પુનમબેન વિરમ ઉર્ફે નાજાભાઇ હિરાભાઇ પરમાર નામની ૧૦ વર્ષીય યુવતિ તેના કેશોદ ખાતે રહેતા માતાને ત્‍યાં આવેલ.

ત્‍યારે રોટલા બનાવતી વખતે ઉબકા આવતા પૂનમનું સારવાર દરમ્‍યાન મોત થતા ડીવાયએસપી ડો.કે.કે.ઠાકુરે તપાસ હાથ ધરી છે.

(1:36 pm IST)