Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સાવરકુંડલા વેપારી મંડળના પ્રમુખ તરીકે માજી નગરપતિ રાજુભાઇ દોશીની વરણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: વેપારી મંડળના પ્રમુખ તરીકે પૂર્વ નગરપતિ રાજુભાઇ દોશીની વરણી કરવામાં આવતા શહેરના વેપારી આલમમાં ખુશી વ્યાપી જવા પામી છે.

અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ચતુરભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઇ શીંગાળા વિગેરે જિલ્લાના હોદેદારોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે વેપારી મહામંડળની એક મીટીંગ મળી હતી જેમાં વેપારીના હિતની અને વેપારીના પ્રશ્ર્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવાના અંતે સાવરકુંડલા વેપારી મહામંડળના પ્રમુખ તરીકે સાવરકુંડલા શહેરના આગેવાન અને માજી નગરપતિ અને માજી નાગરિક બેંકના ચેરમેન શ્રી રાજુભાઇ દોશીની સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી. આ વરણીને અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઇ કાછડીયા જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, દીપકભાઈ માલાણી વિગેરે આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(10:30 am IST)