Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભાવનગરમાં મ્યુકરમાઇકોસીસના વધુ ૪ કેસ

કોરોનામાં બે કેસ, ૧નું મોત, ૨૬ દર્દી સ્વસ્થ થયા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૧ : જિલ્લામાં મ્યુકર માઇકોસીસનાં ૪ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૫ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૧૨૫ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૧ સસ્પેકટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમિયાન અવસાન થયેલ છે.

જિલ્લામા ૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૫ થવા પામી છે. જેમા શહેરી વિસ્તારમાં ૧ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જિલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે.મહાનગરપાલિકા વિસ્તારમા ૮ અને તાલુકાઓમાં ૧૮ કેસ મળી કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૬૫ કેસ પૈકી હાલ ૩૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૨ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:44 am IST)