Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમિતભાઇ શાહ કાલે અથવા રવિવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને

કાલથી દિવમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અને ૩ રાજયોના મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં મિટીંગ મળશે

વેરાવળ-પ્રભાસપાટણ, તા., ૧૦: કેન્‍દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહ કાલે અથવા રવિવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવે તેવી શકયતા છે. આ અંગે શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ  ચાવડાએ અકિલાને જણાવ્‍યું હતું કે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ એક-બે દિવસમાં શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવશે. આ માટે ગઇકાલે હેલીકોપ્‍ટરની રાઇડ પણ લેવાઇ હતી. જો કે હજુ સતાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.

કાલે તા. ૧૧ ના રોજ કેન્‍દ્રના ગૃહમંત્રી અમિતભાઇ શાહ દીવ અને સોમનાથ મહાદેવની મુલાકાતે આવી રહ્યા છે. અને તેમની સાથે અન્‍ય ત્રણ રાજયોના મુખ્‍યમંત્રીઓ પણ આવી રહ્યા છે.

તા. ૧૧ ના રોજ ગૃહમંત્રી આવવાના હોય તેમની વ્‍યવસ્‍થા સુરક્ષા માટે પ્રશાસક પ્રફુલ પટેલે માર્ગદર્શન આપેલ છે. તેમની સુરક્ષા વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રશાસક સવારે ૧૦ વાગ્‍યે દીવ આવી પહોંચ્‍યા હતા અને જે સ્‍થળે કાર્યક્રમ થવાના છે તેનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી સુચનો વ્‍યવસ્‍થા સાથે સંકળાયેલ સ્‍ટાફને આપ્‍યા હતાં. આ માટે સરકીટ હાઉસ ખાતે મીટીંગ પણ યોજીત હતી. ગૃહમંત્રી અમીતભાઇ શાહ સોમનાથ મહાદેવ મંદિરે તા. ૧૧ અથવા ૧ર મીએ દર્શન, પૂજન અર્થે આવે તેવી શકયતા છે. તેઓ દીવથી હેલીકોપ્‍ટરમાં સોમનાથ ત્રિવેણી સંગમ હેલીપેડે પહોંચી દર્શન અને પૂજન કરશે.

(11:55 am IST)