Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જસદણની હવેલીમાં ઠાકોરજીના નૌકાવિહારનાં ભવ્‍ય દર્શન યોજાયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૧૧: સૌરાષ્‍ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રી ગોવર્ધનનાથજીની તથા બાલકળષ્‍ણ લાલજીની હવેલીમાં જેઠ સુદ દશમનાં દિવસે  ગંગા દશમીના દિવસે ઠાકોરજીને નાવમાં બેસાડવામાં આવ્‍યા હતા. મુખ્‍ય મુખ્‍યાજી ઘનશ્‍યામભાઈ જોશીએ ઠાકોરજીને નાવમાં પધરાવીને નૌકા વિહાર કરાવ્‍યો હતો. જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્‍યું હતું કે તાજેતરમાં હવેલીનું આકર્ષક રીનોવેશન કામ પૂર્ણ  થવામાં છે. નવા રંગ રૂપ સાથે તૈયાર થયેલી હવેલીમાં મોટી સંખ્‍યામાં લોકો દર્શનનો લાભ લઇ રહ્યા છે.(તસવીર ધર્મેશ કલ્‍યાણીઃ જસદણ)

(10:15 am IST)