Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભાવનગર સર્કલ ઓફિસર કચેરીમાં વચેટીયો ૧૧ હજારની લાંચ લેતા ઝડપાયો

મામલતદાર કચેરીમાં યશપાલસિંહ સરવૈયા સામે કાર્યવાહી : જમીનના ગામ નમુના માટે રૃપિયા માંગતા એસીબી ટીમની કાર્યવાહી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ : ભાવનગરની તળાજા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસરની કચેરીમાં રૃપિયા ૧૧ હજારની લાંચ લેતા વચેટિયાને લાંચ રૃશ્વત ખાતાનાઙ્ગ સ્ટાફે રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજામાં મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસરની કચેરીમાં ભાવનગરના લાંચ રૃશ્વત વિરોધી ખાતાના સ્ટાફે મળેલ ફરિયાદને આધારે છટકું ગોઠવી ઙ્ગયશપાલસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા નામના વચેટિયાને રૃપિયા ૧૧ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ આ કામના ફરિયાદીએ વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદેલ. તેનો જમીનનો ગામ નમૂના ૭,૧૨, ૮(અ) આરોપી પાસે માંગતા આરોપીએ લાંચના અગાઉ ફરિયાદીશ્રી પાસેથી રૃ.૪૦૦૦ લીધેલ અને બીજા લાંચના રૃ.૧૧,૦૦૦ માંગતા ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા નઙ્ગ હોય જેથી, ફરીયાદી એ.સી.બી. ના ટોલ ફ્રી નંબર - ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરિયાદીએઙ્ગ ફરિયાદ આપતા આજ રોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ મામલતદાર કચેરી, તળાજા, પહેલા માળે,  સર્કલ ઓફીસરની ઓફીસ રૃમ નં.૨૦માં ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદીશ્રી પાસેથી રૃ.૧૧,૦૦૦ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર રંગેહાથ પકડાય ગયો હતો. આ દરોડાની કામગીરીમાં ભાવનગર લાંચ રૃશ્વત વિરોધી ખાતાના પી.આઈ. સી.જી.રાઠોડ,ઙ્ગ પી.આર.રાઠોડ તથા સ્ટાફના માલાભાઈ ભરવાડ, કમલેશભાઈ વાઘેલા તેમજ બોટાદ એ.સી.બી.નો સ્ટાફ પણ જોડાયો હતો.

 

(11:42 am IST)