Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ધોરાજીમાં વિશ્વ ચક્ષુદાન દિવસે નરોતમભાઈ લાઠીયાનું ચક્ષુદાન

માનવ સેવા યુવક મંડળ દ્વારા ૪૧ મું ચક્ષુદાન કર્યું

ધોરાજી,તા.૧૧ :  સમગ્ર વિશ્વમાં આજે વિશ્વમાં નેત્રદાનની ઉજવણી કરી રહેલ હતું ત્‍યારે ધોરાજીના નોરોતમભાઈ જાદવભાઈ લાઠીયાનું દુઃખદ અવસાન થતાં લાઠીયા પરિવાર દ્વારા વિશ્વ નેત્રદાનના દિવસે ૪ દુઃખદની ઘડીએ પણ માનવ સેવા યુવક એક પ્રભુ સેવાને  સાર્થક કરવા ધોરાજી ના માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્‍દ્રભાઈ બાબરીયા અને સાગર સોલંકી ને ચક્ષુદાન કરવા જણાવતા બાદમાં ધોરાજી સરકારી હોસ્‍પિટલ ના અધીક્ષક ડૉ. જયેશ વસેટીયન મેડીકલ ટિમ સાથે ધોરાજી બ્રિજેશ ટાવર ખાતે સ્‍વ ના ઘરે ચક્ષુદાન ની પ્રકિયા પુરી કરેલ અને સ્‍વ. નોરોતમભાઈ લાઠીયા પરિવાર ના અમિતભાઈ લાઠીયા, નિલેશભાઈ લાઠીયા (રાજકોટ), કિશોરીબેન  અજયભાઈ શેઠ (રાજકોટ) ફોરમબેન ધવલભાઈ પીપલીયા ( મુંબઈ ) સહિત ના પરિવાર જનોએ ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળ ને સોપેલ અને રાજકોટ જી. ટી. શેઠ સરકારી હોસ્‍પિટલ ખાતે ચક્ષુઓ ને મોકલી દેવાયા હતા. આ તકે પરિવાર જનોએ વિશ્વ નેત્રદાન દિવસે ચક્ષુઓનું દાન કરી અન્‍ય લોકો ને ચક્ષુદાન કરવા અપીલ કરી હતી આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્રભાઈ બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ સ્‍વના પરિવાર જનોની સેવાઓને બિરદાવી સ્‍વ. નોરોતમભાઈ ને શ્રધ્‍ધા સુમન અર્પણ કરેલ હતા અને માનવ સેવા યુવક મંડળ ને ૪૧મું ચક્ષુદાન મળેલ છે. 

(1:48 pm IST)