Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કેશોદમાં સમસ્‍ત મુસ્‍લિમ સમાજે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્‍યુ

 (કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૧૧ :  ઈસ્‍લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્‍મદ સાહેબ તથા તેમના પત્‍ની બીબી આયશા વિરુદ્ધ ન્‍યુઝ ડીબેટ તથા સોશ્‍યલ મીડિયામાં અતી નીમ્‍ન કક્ષાના અભદ્ર શબ્‍દ પ્રયોગ કરનાર સામે ફરીયાદ નોંધવાની માંગ સાથે આવેદનપત્ર આપ્‍યા
 કેશોદમાં સમસ્‍ત મુસ્‍લિમ સમાજે મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્‍યા હતા આવેદનપત્રમાં જણાવ્‍યું હતું કે નુપુર શર્મા તથા નવિન કુમાર જીંદલ એ ઈસ્‍લામ ધર્મના મહાન પયગંબર સાહબ તથા તેમના પત્‍નિ બીબી આયશા  વિરૂધ્‍ધ ન્‍યુઝ ડીબેટ તથા સોશીયલ મીડીયા ટવીટર પર અતિ નિમ્‍ન કક્ષાના અશોભનીય અને કૌમો વચ્‍ચે વૈમનસ્‍ય ઉપજાવે તેવા અભદ્ર શબ્‍દો પ્રયોગ કરી સંપ્રદાયની ધાર્મીક લાગણી દુભાવી છે જે અત્‍યંત ઘૃણાસ્‍પદ  કટરવાદી વલણ અપમાન જનક અને વિકળત માનસીકતા ઘરાવનાર  કોમવાદનું વાતાવરણ ઉભું કરનાર તેમજ વિશ્વમાં પયગંબર સાહેબના ૧૦૦ કરોડથી વધુ મુસ્‍લીમ અનુયાયીઓની લાગણીને દુભાવનારને અને રાજ્‍ય દેશ અને વિશ્વની કોમી એકતાના માળખાને છીન્ન ભિન્ન કરનાર અને ભારતીય બંધારણનાં અમલને નેવે મુકી નુપુર શર્મા જેવી અસામાજીક તત્‍વો સામે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યાં વગર તાત્‍કાલીક ધોરણે આવા અસામાજીક તત્‍વોને ન્‍યુઝ ડીબેટ તથા સોશ્‍યલ મીડીયા ટવીટર પરનો વપરાશ બંધ કરવાનો અને આવી વ્‍યકિત ને ફરી સાઈબર ક્રાઈમ અને જાહેર ન્‍યુઝ ડીબેટ કરી કોમી એકતાના વાતાવરણનાં ડહોળે તથા કાયમી ઘોરણે સોશ્‍યલ સાઈટનો વપરાશ તેમજ ન્‍યુઝ ડીબેટ ના કરે તેવી શખ્‍ત પાબંદી લગાવવી જોઈએ તેવી માંગ કરી હતી.
 ઇસ્‍લામ ધર્મના મહાન પેયગંબર હઝરત મુહમ્‍મદ  સાહેબ તથા તેમના પત્‍નિ બીબી આયશા  વિરૂધ્‍ધ ન્‍યુઝ ડીબેટ તથા સોશ્‍યલ મીડીયા ટવીટર પર અતી નીમ્‍ન ક્‍લાના અભદ્ર શબ્‍દ પ્રયોગ કરનાર નુપુર શર્મા તથા નવિન કુમાર જીંદલ સામે સાઈબર ક્રાઈમ અને ઘાર્મીક સાંપ્રદાયીની માનહાની તેમજ બીન સાંપ્રદાયીકતાના ઉલ્લંઘન બદલ એફઆઈઆર નોંધી તાત્‍કાલીક ઘોરણે શિક્ષાત્‍મક કાયદાકીય પગલા ભરવાની માંગ સાથે કેશોદ સમસ્‍ત મુસ્‍લિમ સમાજ દ્વારા કેશોદ મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્‍યા હતા.

 

(1:17 pm IST)