Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જુનાગઢનાં તોરણીયા ગામે પત્‍નીની હત્‍યા કરનાર પતિનો આપઘાત

ખેતરમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૧ :  જુનાગઢના તોરણીયા ગામે પત્‍નીની હત્‍યા કરી નાસી ગયેલ પતિએ આપઘાત કરી લેતા બે બાળકો નોધારા થઇ ગયા  છે.

જુનાગઢ તાલુકાના વાડી વિસ્‍તારમાં રહેતા રામદે ઢોલા નામના શખ્‍સે ઘર કંકાસએ લઇ પત્‍ની લીલીબેનની હત્‍યા કરી લાશ પાણીની કુંડીમાં નાખી દીધી હતી.

બાદમાં રામદેભાઇ કપડા બદલાવી મકાનને તાળુ લગાવીને નાસી ગયો હતો. તાલુકા પીએસઆઇ ધોકડીયા વગેરેએ આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી.

દરમિયાનમાં ગત તા.૭ની રાત્રીના ખડીયા ગામની સીમમાં ગઢાણના નામે ઓળખાતા ખેતરમાંથી ૩પ થી ૪૦  વર્ષના અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળી આવ્‍યો હતો. એએસઆઇ પી.એસ.આઇ. આંગોલીયાએ લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે.

જેમાં મૃતક શખ્‍સ રામદે તેની પત્‍નીની હત્‍યા સબબ પકડાયે તે પહેલા તેણે ઝેરી દવા ગટગટાવીને આત્‍મહત્‍યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

માતાની હત્‍યા અને પિતાના આપઘાતથી તેના બે જોડીયા બાળકો હાલ નોંધારા થઇ ગયા છે.

(4:53 pm IST)